આ બ્લૉગ શોધો

30 નવેમ્બર, 2017

શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે ?

   વિશ્વમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બૌદ્ધિક ક્ષમતા ! આનો પ્રારંભ ૧૯પ૦ના દશકામાં થયો હતો. આનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર્સ અને મશીન માણસની જેમ બૌદ્ધિક રીતે વર્તે એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો. સામાન્ય  ગણિતિક ગણતરીઓ કરી શકે એવા કમ્પ્યુટરથી શરૃ થયેલી આ યાત્રા ગેમ્સઓટોમેટિક વાહનોડ્રોન્સ,ડ્રાઈવર વિનાની સેલ્ફ ડ્રાઈવિગ કારતબીબી નિદાનસર્ચ એન્જીન્સ (દા.ત. ગુગલ)ઓનલાઈન આસિસ્ટન્સફોટોમાં ઇમેજની ઓળખસ્પામ ફીલ્ટરીંગ અને  ઓનલાઈન જાહેરાતોને ટાર્ગેટ કરવા સુધી પહોંચી ગઈ છે. તબીબી ક્ષેત્રે કેન્સરને ઓળખી એની ટ્રીટમેન્ટ કરવા સુધી એઆઈનો વિકાસ થયો છે. ૧૯૯૭માં ચેસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક એવા ગેર કાસ્પારોવને ડીપબ્લ્યુ નામના કોમ્પ્યુટરે ચેસમાં હરાવી દીધો હતો. ૧૧મી નવેમ્બરે ચીનમાં ઓનલાઈન વેચાણનો વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર અલીબાબાના માલિક જેક માએ એઆઈને ત્રીજી ક્રાંતિ તરીકે ઓળખાવી છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં એઆઈનું પ્રમાણ વધી  રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાનતાઈવાનચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.
એઆઈ સંચાલિત યંત્રો/રોબોની ઘણીબધી ઉપયોગીતા છતાં કેટલાક વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ એનો વિરોધ કરી રહ્યા છે. અલીબાબાના માલિક જેક-માએ કહ્યું હતું કે આવનારા ૩૦ વર્ષોમાં યંત્રોની બુદ્ધિમત્તા માનવોની બુદ્ધિમત્તાને પછાડી દેશે જેનાથી વિશ્વભરમાં માણસો માટે નોકરીઓની અછત ઉભી થશે. એમણે કહ્યું હતું કેઓટોમેશન કે સ્વચાલનના પ્રભાવના કારણે શકય છે કે લોકોને દિવસભરમાં ચાર કલાક કે સપ્તાહમાં ચાર  દિવસ  જ કામ કરવું પડે. જેકમા તો અહીં સુધી માને છે કે એઆઈ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પણ બની શકે છે. કેમ કે જ્યારે પણ તકનીકી ક્રાંતિ થઈ છે ત્યારે વિશ્વયુદ્ધ થયા છે. એમના અનુસાર એઆઈ ત્રીજી ક્રાંતિ છે.
મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે 'એઆઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે. એકવાર માણસે એઆઈનો વિકાસ કર્યો તો (એઆઈ) પોતાની મેળે રિ-ડિઝાઈન કરી લેશે અને ઝડપથી આગળને આગળ વધતી જશે. માણસો જૈવિક ઉત્ક્રાંતિમાં ધીમા હોવાથી આ (એઆઈ)ની ઉત્ક્રાંતિની સ્પર્ધા કરી નહીં શકે અને માનવજાતનું સ્થાન બૌદ્ધિકતા ધરાવતા યંત્રો લઈ લેશે.આ જ વાતને આગળ વધારતા હોકિંગે એક બીજી  જગ્યાએ કહ્યું હતું કે 'ફેકટરીઓમાં ઓટોમેશનને લીધે લોકો બેરોજગાર થઈ રહ્યા છે. એઆઈના કારણે બેરોજગારી ઘણી વધી શકે છેજેનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ ઉપર પડશે.'એમણે આ બાબતને 'વિનાશકબતાવી છે. એમના મતાનુસાર માત્ર ભાવનાત્મકરચનાત્મક અને સુપરવિઝનવાળી નોકરીઓ જ માણસોના ભાગે આવશે. બાકી બધા કામ એઆઈ દ્વારા કરવામાં આવશે. પોર્ટુગલની એક વેબ કોન્ફરન્સમાં હાલમાં જ સ્ટીફન હોકીંગે માનવજીવનમાં ટેકનોલોજીની વધતી દખલગીરી સામે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને લઈને વધારે ઉત્સુક છીએ, પરંતુ આગામી પેઢી તેને માનવીય સભ્યતાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના તરીકે યાદ કરશે. તેનાથી બચવાની એક જ રીત છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે તેને માનવતા માટે ઊભા થનારા સંભવિત ખતરા વિશે પણ જાણીએ.એઆઈમાં આખી પૃથ્વીને નષ્ટ કરવાની શક્તિ છે તો સાથે જ મોટા રોગોની સારવાર કરવાની ક્ષમતા છે. એઆઈ ભવિષ્યમાં માનવીને જ રિ-પ્લેસ કરી શકે છે અર્થાત્ માનવજાતને નષ્ટ કરી પોતે એનું સ્થાન લઈ લેશે.
કંઈક આવી જ વિચારસરણી ટેસ્લા અને સ્પેસએકસ કંપનીના માલિક એલન મસ્ક ધરાવે છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે રોબો માનવો પાસેથી કામ ઝૂંટવી લેશે અને સરકારો ઘેરબેઠા રોજગારી ભથ્થા આપશે. એક કાર્યક્રમમાં મસ્કે કહ્યું હતું કે તે એઆઈથી ઉદભવનારા ખતરાથી દુનિયાને જ્ઞાત કરતા રહેશે. જો લોકો નહીં સમજે તો સ્થિતિ ત્યાં સુધી બગડી જશે કે રોબો ગલીઓ અને માર્ગો ઉપર ખૂનામરકી શરૃ કરી દેશે. આ વિધાનના વિરુદ્ધમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે તરત બયાન આપ્યું હતું કે એલન મસ્ક દુનિયાને ખોટા ડરાવી રહ્યા છે એલન મસ્કને તો એમણે ઘોર નિરાશાવાદી ગણાવી દીધા.
જો કે હોકીંગએલન મસ્ક અને બીજા લોકોનો એઆઈ વિરુદ્ધનો ભય અસ્થાને નથી. એની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે સાઉદી અરેબિયાએ સોફિયા નામક રોબોને સાઉદીની નાગરિકતા આપી. એ કાર્યક્રમમાં સોફિયાને બનાવનાર હેન્સન રોબોટીકસના ડેવિડ હેન્સને એને પૂછયું કે તારો ધ્યેય શું છે તો સોફિયાએ જવાબ આપ્યો કે 'માનવજાતનો વિનાશ કરવો મારૃં ધ્યેય છે.'
નીક બોસ્ટ્રોમે એમના પુસ્તક 'સુપર ઇન્ટેલીજન્સમાં એઆઈને માનવજાત માટે ખતરારૃપ બતાવી છે. દલીલ કરતા તેઓ કહે છે કે પૂરતી બુદ્ધિમત્તા (એઆઈ) ધરાવતા રોબો કોઈ લક્ષ્ય પ્રાપ્તિ ખાતર કાર્ય પસંદગી માટે 'કન્વર્જન્ટવર્તન કરે છે અને મૂળ સ્ત્રોતોને કાબૂમાં કરી પોતાની સિસ્ટમને બંધ કરવાથી સુરક્ષિત કરી લે એ ખતરનાક બાબત છે. એ પછી માણસનો એમના ઉપર કોઈ કાબૂ રહેતો નથી. કંઈક આવી જ ઘટના બની ત્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને એક પ્રયોગ અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. વાત એમ હતી કે ફેસબુકના શોધકર્તાઓ એ જોવા ઇચ્છતા હતા કે રોબો એકબીજા સાથે કેટલી સરસ રીતે સંવાદ કરી શકે છે. પરંતુ પ્રયોગ શરૃ થયાના થોડા સમય પછી આ રોબોએ સામાન્ય અંગ્રેજી ભાષા છોડી પોતાની કોઈ અલગ જ ભાષા વિકસાવી લીધી અને એમાં જ વાત કરવા લાગ્યા. આ ભાષા માત્ર તેઓ જ સમજી શકતા હતામાણસો નહી. તેથી સંશોધકોએ તરત જ આ પ્રયોગ અટકાવી દીધો.
કેટલાક લોકો ઓટોમેશનનો વિરોધ કરે છે એમાં મુખ્ય ડર માણસોની બેરોજગારીનો છે. વિશેષજ્ઞોના મતાનુસાર એવો અંદાજ છે કે ર૦ર૧ સુધી વિશ્વમાં દર ૧૦ માણસોમાંથી ૪ માણસોની નોકરી ચાલી જશે. એન્જિનિયરીંગઇન્ફ્રાસ્ટ્રકચરવાહન ઉધ્યોગ અને બેન્કિંગ ક્ષેત્રોમાં સ્વચાલનનું ચલણ વધી રહ્યું છે. જેમ જેમ સ્વચાલન વધશે તેમ તેમ શ્રમ આધારિત ક્ષેત્રો પ્રભાવિત થશે. પીપલ સ્ટ્રોંગના કાર્યકારી અધીકારી અને સ્થાપક પંકજ બંસલનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ૪૦ ટકા અને ભારતમાં અંદાજે ર૩ ટકા બેરોજગારી વધી જશે. સ્વચાલનને લીધે જ્યાં ૧પ૦૦ લોકો કામ કરતા હતાત્યાં આજે પ૦૦ લોકોથી જ એટલું કામ થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન સૂચવતા તેઓ કહે છે કે સરકારે બે પ્રમુખ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે. પ્રથમ વચલા બજારને મજબૂત કરવું તથા કાર્યબળ (મેન પાવર)ના કૌશલ્યને નિખારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વચાલનને કારણે સર્જિત થતા નવા રોજગારને પ્રાપ્ત કરી શકાય.
માર્ટીન ફોર્ડે 'લાઈટસ ઈન ધ ટનલઓટોમેશનએકસલરેટીંગ ટેકનોલોજી એન્ડ ધ ઇકોનોમી ઓફ ધ ફયુચર'માં દલીલ કરી છે કે એઆઈની એપ્લીકેશનમાં સ્પેશ્યાલાઈઝેશનરોબો અને સ્વચાલનના બીજા રૃપ,અંતે તો મહત્ત્વની બેરોજગારીમાં પરિણમશે. કેમ કે યંત્રો મજૂરોની કાર્યક્ષમતા કરતા વધારે ક્ષમતાથી કાર્ય કરશે.
આ શંકાની પૂર્તી કરતા હોય એમ નાસકોમના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગલા ત્રણ વર્ષોમાં ર૦થી રપ ટકા નોકરીઓમાં ઘટાડો થવાની શંકા છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે ભારતમાં સ્વચાલનને કારણે ૭૯ ટકા નોકરીઓ ઉપર જોખમ તોળાઈ શકે છે. ચીનમાં ૭૭ ટકા નોકરી જોખમમાં આવી શકે છે. ભારત જેવા વિકસતા દેશ માટે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે છે. આપણો દેશ વિકાસના ડગ ભરવા સાથે નવી નોકરીઓના સર્જનમાં સંઘર્ષ કરી રહયો છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં ૧૯૯૧થી ર૦૦૩ દરમિયાન ૩૦ કરોડનો વધારો થયો હતો. પરંતુ નોકરીઓ માત્ર ૧૪ કરોડ જ વધી હતી ! અમેરિકાની એમએફએસ રિસર્ચના અંદાજ મુજબ ભારતમાં આઈટી ઉદ્યોગમાં ૬.૪૦ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.
ભારતમાં આઈટી ઉપરાંત કારફાર્માઅન્ન અને પીણા, ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા ઉદ્યોગમાં નોકરીઓ ઉપર ભય તોળાઈ રહ્યો છે. ર૦૧૬ના વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ વિશ્વભરમાં મજૂર બળને ખોખલા કરવાની અર્થાત્ એમની સંખ્યા ઓછી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ટેકનોલોજી અને સ્વચાલનના કારણે મધ્યમ કૌશલ્યવાળી નોકરીઓ દા.ત. કારકૂનો અને મશીનચાલકોના કાર્યો ઘટયા છે. પરંતુ હાઈ સ્કીલ (ઉચ્ચ કૌશલ્ય) અને નિમ્ન કૌશલ્યવાળા કાર્યોમાં વધારો થયો છે. ભારત જેવા દેશો માટે આ મોટી સમસ્યા છે. આ ટ્રેન્ડ માત્ર ટેકનોલોજીના કારણે જ નહીં પરંતુ વૈશ્વિકરણ અને શહેરીજકરણને લીધે પણ થયું છે. 

નિષ્કર્ષ એજ છે કે જે ઉદ્યોગો માં ખુબ જ જરૂરી હોય ત્યાજ સ્વચાલન અપનાવવું જોઈએ.ટેકનોલોજી સારી બાબત છે પરંતુ એનો વિવેકપૂર્વક નો ઉપયોગ આવશ્યક છે.નહીતર આ જ ટેકનોલોજી માનવજાત સામે મોટો ખતરો બની શકે છે.


18 નવેમ્બર, 2017

સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજસુધારક




પ્રસિદ્ધ શાયર ડો.મુહમ્મદ ઇકબાલે જેના વિશે કહ્યું હતું કે, 'આ માણસની ખરી મહાનતા એ વાતમાં છે કે તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેણે ઇસ્લામને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો અને એ માટે કાર્ય કર્યું.એ માણસ એટલે સર સૈયદ એહમદખાન. ૧૭મી ઓકટોબરે એમની ર૦૦મી જન્મજયંતિ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ભારતની ઘણી મુસ્લિમ સંસ્થાઓમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. સર સૈયદ એહમદખાન ૧૭મી ઓકટોબર ૧૮૧૭માં દિલ્હીમાં મુઘલોના વંશજોમાં જન્મ્યા. દાદા સૈયદ હાદી જવ્વાદ બિન ઇમામુદ્દીન આલમગીર દ્વિતીયના દરબારમાં જનરલના ઉચ્ચ હોદ્દા ઉપર હતા. નાના ખ્વાજા ફરીદઉદ્દીન અકબર દ્વિતીયના દરબારમાં મંત્રી હતા અને પિતાએ સમ્રાટ અકબર દ્વિતીયના અંગત સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. માતા અઝીઝુન્નીસાએ કડક શિસ્ત હેઠળ સૈયદ એહમદખાનનો ઉછેર કર્યો હતો. બાળપણથી જ એમને આધુનિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. કુઆર્નશરીફની તાલીમ મહિલા શિક્ષિકા પાસેથી મેળવીજે એ સમયમાં અસામાન્ય બાબત હતી. લોર્ડ વેલેસ્લીના ચાર્જમાં ફારસીઅરબીઉર્દૂ અને રૃઢિગત ધાર્મિક અભ્યાસ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે આગ્રાની કોર્ટમાં નોકરી મળી. ૧૮૪૦માં મુનશી તરીકે બઢતી મળીઅને ૧૮પ૮માં ઉચ્ચ હોદ્દા ઉપર કોર્ટમાં નિયુક્તિ થઈ. ઘરમાં મળેલા આધુનિક શિક્ષણે એમને સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધાઅજ્ઞાનતા અને કુરિવાજોના વિરોધી બનાવ્યા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે પશ્ચિમી અને વૈજ્ઞાનિક શિક્ષણ જ મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે પહોંચાડી શકે છે અને આ વાત તો એમના મનમાં વધારે દૃઢ થઈ ગઈ જ્યારે તેઓ ૧૮૬૯માં પોતાના પુત્ર સાથે ઈંગ્લેન્ડ ગયાત્યાં એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી જોઈ એટલા પ્રભાવિત થયા કે ભારતમાં પણ એક 'મુસ્લિમ કેમ્બ્રિજયુનિવર્સિટી હોવી જોઈએ એવો વિચાર આકાર લેવા લાગ્યો અને એમાંથી જ એમણે ૧૮૭૦માં 'કમિટી ફોર ધી બેટર ડીફયુઝન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ અમોંગ મોહમેડન્સ'ની સ્થાપના કરી. આ જ કમિટીએ ૧૮૭૩માં અલીગઢમાં કોલેજની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો અને દાન ઉઘરાવી ર૪ મે ૧૮૭પના દિવસે મોહમેડન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ (MAO)ની સ્થાપના કરી. પ્રારંભે આનું જોડાણ કલકત્તા યુનિવર્સિટી સાથે હતું. પરંતુ ૧૮પપમાં અલ્હાબાદ યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું. ૧૯ર૦માં આ કોલેજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે રૃપાંતરણ પામી ૯૭ વર્ષોમાં આ યુનિવર્સિટીએ ઘણા પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ આપ્યા. જેમાં સ્વતંત્રતાસેનાની મુહમ્મદઅલી જોહરઅબ્દુર્રબ નસ્તરમૌલાના શૌકતઅલીમૌલવી અબ્દુલ હક, (પાકિસ્તાનમાં બાબ-એ-ઉર્દૂ તરીકે જાણીતા છે) પાકિસ્તાનના પ્રથમ બે વડાપ્રધાન લિયાકતઅલીખાન અને ખ્વાજા નાઝિમુદ્દીન,ભારતના રાષ્ટ્રપતિ ડો.ઝાકિરહુસેનઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને શકીલ બદાયુનીથી જાવેદ અખ્તર જેવા અસંખ્ય નામોનો સમાવેશ થાય છે.
સર સૈયદ એહમદખાન ભારતના એક શિક્ષણ સુધારક તરીકે વધારે જાણીતા છે. શિક્ષણ ક્ષેત્રે એમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. ૧૮પ૯માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ૧૮૬૩માં ગાઝીપુરમાં વિકટોરિયા સ્કૂલની સ્થાપના કરી. ૧૮૬૪માં ભારતમાં મુસ્લિમોની પ્રથમ વિજ્ઞાન સંસ્થા સાયન્ટીફીક સોસાયટી ફોર મુસ્લિમ્સની સ્થાપના કરી. ૧૮૭૮માં મોહમેડન એસોસિએશનની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ મુસ્લિમો વચ્ચે રાજકીય સહકાર સ્થપાય એ હતો. ૧૮૮૩માં મુસ્લિમ યુવાનો ભારતીય પ્રશાસનિક સેવાઓમાં પ્રવેશી શકે એ માટે મોહમેડન સિવિલ સર્વિસ ફંડ એસોસિએશનની સ્થાપના કરી. એમણે ૧૮૮૬માં ઓલ ઇન્ડિયા મોહમેડન એજ્યુકેશનલ કોન્ફરન્સનું આયોજન એ હેતુથી કર્યું હતું કે મુસ્લિમો આધુનિક શિક્ષણ અને રાજકીય એકતાનું મહત્ત્વ સમજે. આ બધા કાર્યોને લીધે તેઓ ૧૯મી સદીના મુસ્લિમોના સૌથી મહત્ત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.
૧૮પ૭ના વિપ્લવમાં સર સૈયદે કોઈ ભાગ લીધો ન હતો. એ માટે જમાલુદ્દીન અફઘાની જેવા મુસ્લિમ આગેવાનોએ એમની ટીકા પણ કરી હતી પરંતુ ૧૮પ૯માં એમણે બગાવત-એ-હિંદ નામની પુસ્તિકા લખી  વિપ્લવના કારણોની ચર્ચા કરી હતી. એમાં એમણે બ્રિટિશ  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આક્રમક વિસ્તરણની યોજનાને જવાબદાર ઠરાવી હતી. તેઓ કોંગ્રેસના પ્રખર ટીકાકાર હતા. કેટલાક લોકોનંુ માનવું છે કે અંગ્રેજોની વફાદારીને કારણે જ એમને 'ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અર્થાત્ તેઓ રાયબહાદૂર સર સૈયદ એહમદખાન તરીકે ઓળખાયા.
તેઓ શિક્ષણવિદ હોવા ઉપરાંત સારા કવિ અને લેખક પણ હતા. એમણે અસારઉસ સનાદીદએહકામએ નામ-એ અહેલે કિતાબઆખિરી મઝામીનઅસબાબે બગાવતે હિંદહકીકતુસ્સહરસીરતે ફરીદીયહતબીનુલ કલામતેહઝીબુલ અખ્લાકતઝકીરા અહલે દિલ્હીઊદ એ હિંદી અને તફસીરુલ કુઆર્ન લખી. ઉર્દૂ ભાષાથી ખૂબ લગાવ હતો. હિન્દીને પણ માન આપતા હતા પરંતુ ૧૮૬૭માં હિન્દી-ઉર્દૂ ભાષાનો વિવાદ વકર્યો. એમણે ઉર્દૂનો પક્ષ લીધો. ઉર્દૂના પ્રચાર-પ્રસાર માટે માત્ર ઉર્દૂમાં જ લખતા હતા. એમના લીધે જ હૈદરાબાદની રાજભાષા અને ઓસમાનિયા યુનિવર્સિટીની માધ્યમિક ભાષા તરીકે ઉર્દૂને અપનાવવામાં આવી હતી.
એમણે શિક્ષણ અને સમાજોપયોગી કાર્યો કર્યા ત્યાં સુધી લોકોને એમનાથી કોઈ વિરોધ ન હતો પરંતુ તેમણે કુઆર્નની તફસીર (વિવેચન/ભાષ્ય) લખી એમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા તો લોકોએ એમને 'નેચરી'નું બિરુદ આપ્યું અને કેટલાક વિદ્વાનોએ એમની ઉપર કુફ્ર (નાસ્તિકતા)ના ફતવા પણ લગાવ્યા. એમણે બાઇબલનું વિવેચન પણ લખ્યું હતું. જે કોઈપણ મુસ્લિમ દ્વારા પ્રથમ પ્રયત્ન હતો. આ કારણોેને લીધે કેટલાક લોકો એમ માનતા હતા કે તેઓ ખ્રિસ્તી બની ગયા છે. જો કે એ માટેની કોઈ સાબિતી નથી.
શિક્ષણ વિશેના એમના 'વિઝનઅને 'વિચારોઆજે પણ ખૂબ જ પ્રસ્તુત છે.
મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવામાં છે.
* 'મને ગમે તે નામથી બોલાવો. હું તમારાથી મોક્ષ (નજાત) નથી માગતોપરંતુ તમારા બાળકો ઉપર કૃપા કરો. એમના માટે કંઈક કરો (એમને શાળાઓમાં મોકલો)નહીં તો તમારે પસ્તાવું પડશે.'
* 'જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરીએ ત્યાં સુધી પછાત અને ધુત્કારેલા રહીશું.'
* 'અંધશ્રદ્ધાઓ અને કુ-રિવાજોને તિલાંજલિ આપો. આ કુરિવાજો માનવ પ્રગતિમાં બાધારૃપ છે.'
* 'અંધશ્રદ્ધા ઈમાનનો ભાગ ન હોઈ શકે.'
* 'રાષ્ટ્રની પ્રગતિની પ્રથમ શરત સમાજના વિવિધ સમુદાયો વચ્ચે ભાતૃભાવ એકતા હોવી એ છે.'
હા 'MAO’અલીગઢ મુસ્લિમ યુનિ.નો મુખ્ય હેતુ મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો છે કે જેઓ પછાતપણાથી પીડાઈ રહ્યા છેપરંતુ આ સંસ્થા મુસ્લિમોની સાથે હિંદુઓની પણ છે. બંનેને શિક્ષણની આવશ્યકતા છે.
* 'હિન્દુઓ અને મુસ્લિમો હિન્દુસ્તાન નામની દુલ્હનની બે આંખો સમાન છે. કોઈ એકની નબળાઈ સૌંદર્યને બગાડી શકે છે.'
* 'આપણે (હિંદુઓ અને મુસ્લિમોએ) એક નવી ભાષા ઉર્દૂને જન્મ આપ્યો છે.
* 'આગળ જુઓઆઘુનિક જ્ઞાન મેળવો અને પુરાણી નિરર્થક વિદ્યાઓમાં સમય ન બગાડો.
* 'બીજાને ઇસ્લામનો ચહેરો ન બતાવોપરંતુ તમારો ચહેરો બીજાને દખાડો કે જે સાચા ઇસ્લામને માને છેજેનું ચારિત્ર્ય ઉમદા છે અને જે જ્ઞાનસહિષ્ણુતા અને સંયમને પ્રદર્શિત કરે છે.'
યાદ રાખો હિંદુ અને મુસ્લિમ માત્ર ધાર્મિક રીતે અલગતા દર્શાવે છે પરંતુ આ દેશમાં વસતા બધા જ લોકો એક રાષ્ટ્રીયતા ધરાવે છે.
આવા દૂરંદેશી અને સમાજસુધારક સર સૈયદ એહમદખાન ભારતના શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસમાં હંમેશા આદરભર્યું સ્થાન ધરાવશે. ભલે તેમણે ર૭ માર્ચ ૧૮૯૮ના દિવસે આ દુનિયાથી વિદાય લીધી પરંતુ ભારતીયોના દિલોદિમાગમાં તેઓ હંમેશાં જીવશે.