આ બ્લૉગ શોધો

25 એપ્રિલ, 2018

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ-2

સમગ્ર વિશ્વમાં મહિલાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહયો છે. ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં દર વર્ષે ર૦ ટકાની વૃદ્ધિ થઈ રહી છે. દેશમાં જેટલી પણ ગુનાહિત ઘટનાઓ ઘટે છે એમાં અંદાજે ૧૦ ટકા મહિલાઓ વિરુદ્ધ થાય છે. આ આંકડાઓ વધારે પણ ાહોઈ શકે છે. કારણ કે આપણું સામાજિક માળખું એવું છે કે મહિલાઓ પોતાની વિરુદ્ધ થતી હિંસા કે ગુનાખોરીને પારિવારિક અને સામાજિક મર્યાદાના કારણે ચુપચાપ સહી લે છે અને બાબતે પોલીસ ફરિયાદ કરવાનું ઉચિત સમજતી નથી. અથવા તો ઘરવાળા એને સમજાવીને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરે છે. મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં જેનો સમાવેશ થાય છે એ એ બળાત્કાર, દહેજ માટે ઉત્પીડન, છેડછાડ, જાતીય દુર્વ્યવહાર, અપહરણ, છોકરીઓનો અનૈતિક દેહવ્યાપાર, ભ્રુણ હત્યા વગેરે. ભારતમાં સ્ત્રીઓ ન ઘરમાં સુરક્ષિત છે ન ઘરની બહાર. આ કડવી વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે દેશમાં દર ૭ મિનિટે સ્ત્રીઓ સામે કોઈ ને કોઈ ગુનો આચરાય છે, દર ર૬ મિનિટે  કોઈ સ્ત્રી સાથે છેડછાડ કરવામાં આવે છે, દર ૩૪ મિનિટે એક બળાત્કાર થાય છે. દર ૪૪ મિનિટે કોઈ છોકરીનું અપહરણ થાય છે. દર ૭૭ મિનિટે દહેજને લીધે એક સ્ત્રી મોતના ખપ્પરમાં હોમાય છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે દેશમાં સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. વિશ્વમાં દર ૧૦૦ પુરૃષોએ ૯૮ર સ્ત્રીઓ છે ત્યાં ભારતમાં આ સંખ્યા ૯૪૩ છે. (ર૦૧૧માં)
સ્ત્રીઓની સમસ્યાઓને સંક્ષિપ્તમાં જોઈએ.

* કન્યા ભૃણ હત્યા

છોકરીઓને એક દિવસ સાસરે વળાવવાની છે તો પછી એમને ભણાવી-ગણાવીને ખોટો ખર્ચો કેમ કરવોે. આવી નકારાત્મક માનસિકતાને લીધે સ્ત્રીઓ સગર્ભા થાય ત્યારે ગર્ભ ચકાસણી કરાવવામાં આવે છે. જો છોકરો હોય તો ગર્ભ રહેવા દેવામાં આવે છે અને છોકરી હોય તો ગર્ભપાત કરાવી નાખવામાં આવે છે. દેશમાં ગર્ભ ચકાસણી વિરુદ્ધ 'પ્રિન્ટેલ ડાયોગ્નોસ્ટિક ટેકનીક રેગ્યુલશેન તથા પ્રિવેન્શન ઓફ મિસયુઝ એકટ, ૧૯૯૪)' અમલી હોવા છતાં દેશમાં એક અંદાજ મુજબ વર્ષે દહાડે રૃા.૧૦૦૦ કરોડનો ગર્ભપાતનો ધંધો ધમધોકાર ચાલે છે. વસ્તી ગણતરીના આંકડાઆ વાતની સાક્ષી પૂરે છે. દેશમાં દર ૧૦૦૦ પુરૃષેએ ર૦૦૧માં ૯૩૩ સ્ત્રીઓ હતી, એક દાયકામાં થોડોક જ સુધારો થયો અને ર૦૧૧માં આ રેશિયો ૯૪૩ થયો. જ્યાં શિક્ષણનું પ્રમાણ સારૃં છે એવા રાજ્યોમાં સ્ત્રીઓની સંખ્યા પણ સારી છે. દો.ત. કેરમાં દર હજાર પુરૃષોએ ૧૦૮૪ સ્ત્રીઓ છે. પોંડીચેરમાં ૧૦૩૭, તામિલનાડુમાં ૯૯૬, આંધ્રપ્રદેશમા ૯૯૩, છત્તીસગઢમાં ૯૯૧, મેઘાલય, મણિપુર, ઓરિસ્સા અને મિઝોરમાં પણ ઠીકઠાક છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત હરિયાણાની છે. દેશમાં સૌથી ઓછું પ્રમાણ ત્યાં છે. દર હજાર પુરૃષોએ માત્ર ૮૭૭ સ્ત્રીઓ જ છે.
જાતીય દુર્વ્યવહારઃ
સ્ત્રીઓ જાતીય દુુર્વ્યવહારનો ઘણી વખત ભોગ બને છે. આમાં સામેલ છે- અપશબ્દો, અશ્લીલ હરકતો, છેડછાડ, સીટી મારવી, વાસનાભરી દૃષ્ટિએ જોવું. વગેરે આ દુર્વ્યવહારનો સૌથી વધુ ભોગ નોકરી વ્યવસાય કરતી મહિલાઓ બને છે. જાતીય દુર્વ્યવહારની દૃષ્ટિએ દેશમાં સૌથી અસુરક્ષિત શહેર દેશનું પાટનગર દિલ્હી છે. એ 'ગુનાખોરીનું પણ પાટનગર' છે.
સર્વોચ્ચ ન્યાયાલયના દિશા-નિર્દેશ અનુસાર બળજબરીથી શારીરિક સંપર્ક કરવો. શારીરિક સંબંધ સ્થાપિત કરવાના હેતુથી આગ્રહ કરવો કે માંગ કરવી, અપશબ્દોનો પ્રયોગ, અશ્લીલ ચિત્રો કે ફિલ્મો બતાવવી, કોઈપણ શારીરીક  શાબ્દિક કે અશાબ્દિક અશ્લીલ હરકત જાતીય દુર્વ્યવહારની શ્રેણીમાં આવે છે. ભારતીય દંડસંહિતાની કલમ ૩પ૪માં મહિલાઓના શિયળભંગને સંગીન અપરાધ માનવામાં આવ્યા છે. આના માટે બે વર્ષની જેલની સજા તથા આર્થિક દંડની જોગવાઈ છે. આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં આવી ઘટનાઓને કાં તો નોંધવામાં નથી આવતી અથવા નોંધવામાં આવે છે તો ન્યાયિક વિલંબને કારણે ખોરંભે પડી જાય છે. તેથી મોટાભાગની સ્ત્રીઓ પોતાની સામાજિક આબરૃ સાચવવા શારીરિક આબરૃની ઘટનાઓને ઢાંકપિછોડો કરી લે છે. પરિણામે ગુનેગારો, સરળતાથી છટકી જાય છે. એમને કાનૂનનો કોઈ ભય હોતો નથી. જે કંઈ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે એમાંથી માંડ ૧૦-૧પ ટકા  ગુનેગારોને સજા મળે છે. કાયદાઓ અને સજાઓ ગમે તેટલા સખત હોય પરંતુ જ્યાં સુધી પીડિતા અને એના સગાસંબંધીઓ મક્કમતાથી પોલીસ કેસ ન કરે ત્યાં સુધી ગુનેગારોને મોકળું મેદાન મળતું રહેશે.

બળાત્કારઃ

ભારતમાં બળાત્કારની ઘટનાઓ સામાન્ય છે. આંકડાઓ મુજબ દેશમાં દર ૩પ મિનિટ એક સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. એક વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ વધી રહી છેફ. એ સરકાર અને સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે. ભારતમાં બળાત્કારના દરરોજ ૪પ કેસ નોંધવામાં આવે છે, જે પશ્ચિમી દેશો કરતા ઓછા છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે મોટાભાગના બળાત્કારના કેસો પોલીસના ચોપડે નોંધાતા નથી. દેશનું પાટનગર દિલ્હી બળાત્કારનું પણ પાટનગર છે. દિલ્હીમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી. વિદેશી મહિલાઓ સાથે પણ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે. આનાથી વિદેશોમાં દેશની આબરૃના લીરા  ઉડે છે. પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડે છે.
બળાત્કારની ઘટનાઓ પાછળ આપણી ઉપભોકતાવાદી સંસ્કૃતિ, સંસ્કારની સાથે સાથે પાશવી મનોવૃત્તિ અને વધતું જતું શહેરીકરણ મુખ્યત્વે જવાબદર છે. અશ્લીલ સેકસ સાહિત્ય, ફિલમ, વીડિયો, ઇન્ટરનેટ વગેરે બળાત્કારની ઘટનાઓ માટે જવાબદાર ગણી શકાય. પ્રચાર માધ્યમોમાં 'સેકસ અને હિંસા'નું પ્રદર્શન વધ્યું છે, જે સમાજમાં વધતા યૌન અપરાધોના વધવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશી-વિદેશી ફિલ્મોમાં પુરૃષ-સ્ત્રીના પ્રેમાલાપને એવા અંદાજમાં રજૂ કરવામાં આવે છે કે જેથી સ્ત્રી-દેહને મુકતરૃપે ભોગવવાની જાણે વ્યાપક સામાજિક સ્વીકૃતિ આપવામાં આવી હોય ! આજકાલની એડવર્ટાઈઝમાં સ્ત્રીઓ માત્ર મોજ-મસ્તીનું સાધન, ઉત્તેજીત કરનારા અને કામુક અદાઓથી આકર્ષિત કરનારી દર્શાવવામાં આવે છે. પુરૃષોના અંડરવેયર કે શેવિંગ ક્રીમમાં કે રેઝરની જાહેરાતમાં સ્ત્રીનું શું કામ હોય ? એમ છતાયં આવી જાહેરાતોમાં સ્ત્રીઓને બતાવવામાં આવે છે. આજકાલની જાહેરાતોમાં સ્ત્રીઓ કેવળ મોજ-મસ્તીનું સાધન-ઉત્તેજિત કરાવવાળી અને કામુક અદાઓથી આકર્ષનાર રમકડાઓ જેવી થઈ ગઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ બ્રોડબેન્ડ તથા સ્માર્ટફોન ઉપર ઉપલબ્ધ મફત ઇન્ટરનેટને કારણે આજની નવી પેઢી કામુક વીડિયો ઉપરાંત પોર્નોગ્રાફીક વેબસાઇટો જોઈ નાની ઉંમરમાં જ પુખ્ત થઈ રહી છે. આ કામુકતા પણ સ્ત્રીઓ ઉપર બળાત્રકારનું કારણ હોઈશ કે છે. આશ્ચર્યજનક બાબત તો આ છે કે સગીર બાળાઓ અને મહિાલઓ ઉપર બળાત્કાર ગુજારનાર પીડિતના નજીકના સંબંધીઓ જ હોય છે અથવા એમ કહો કે ૮૦ ટકા અપરાધીઓ એવા હોય છે જેને પીડિતઓ ઓળખતી હોય છે. આ કેસોમાં પોલીસ પીડિતાની ફરિયાદ લેતી નથી અને ઘણા કેસમાં પીડિતાઓ પોલીસ ફરિયાદ કરતી નથી. ખાનદાનની આબરૃ ભરબજારે કોણ ઉછાળે ? આમ, મોટાભાગના બળાત્કારના કેસો પોલીસના દફતરે નોંધાતા નથી અને જે નોંધાય છે એમાં અદાલતમાં બોર્ડ ઉપર કેસ આવતાં આવતાં જ વર્ષો નીકળી જાય છે અને જે કેસો બોર્ડ ઉપર આવી જાય છે એમાં ભર અદાલતમાં પીડિતાને એવા લુચ્ચા સવાલ કરવામાં આવે છે કે મહિલાઓ શરમાઈ જાય, જેમણે 'દામિની' ફિલ્મ જોઈ હશે એમને આ વાત ખબર હશે. પોતે નિર્દોષ છે એ સાબિત કરવાનું સઘળ કાર્ય જાણે પીડિતાને માથે હોય ! આ કેવી ન્યાયવ્યવસ્થા ! આપણી આ ખામી ભરેલી ન્યાયિક વ્યવસ્થાને લીધે મોટાભાગના અપરાધીઓ વટથી છૂટી જાય છે અને પીડિતાઓ ના છૂટકે આત્મહત્યાનો આશરો છે છે.
રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ર૦૧પમાં દેશમાં બળાત્રકારના ૩૪૬પ૧ કેસ નોંધાયા હતા. આ તોપલીસના ચોપડે નોંધાયેલા કેસ છે, ન નોંધાયેલા કેસોની સંખ્યા આનાથી ત્રણ ગણી વધુ હોઈ શકે છે.
દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર ર૦૧રની રાત્રે પેરામેડિકલ શાખાની વિદ્યાર્થિની 'નિર્ભયા' ઉપર કેટલાક નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. હોસ્પિટલમાં એનું મૃત્યુ થતાં સમગ્ર દેશમાં બળાત્કારીઓ વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો હો. એમને સખતમાં સખત સજા કરવાની લોકમાગણી બુલંદ થઈ હતી. પરિણામે ર૦૧૩માં સરકારને બળાત્કારના કાયદામાં સુધારો કરવાની ફરજ પડી હતી.
નાની બાળકીઓઉપર વધી રહેલા બળાત્કારનોની સંખ્યા દર્શાવે છે કે આપણે એક સમાજ તરીકે પતન પામ્યા છીએ. માણસાઈની છેલ્લામાં છેલ્લી પાયરીએ આવીને આપણે ઊભા છીએ. સામાન્ય માણસો વ્યતિત થઈ જાય એ સમજી શકાય પરંતુ લશ્કરના શિસ્તબદ્ધ સૈનિકો 'AFSPA' કાયદાનો ગેરલાભ ઉઠાવી નિર્દોષ મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારે ત્યારે સમાજે અને વિશેષતઃ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
જ્યારે પણ કોમી હુલ્લડો ફાટી નીકળે છે ત્યારે હુલ્લડખોરો માટે (બીજા જૂથની) સ્ત્રીઓ સોફટ ટાર્ગેટ હોય છે. આવા નરાધમો બળાત્ર દ્વારા પોતાની મર્દાનગી નહીં નામરદાનગી જ જાહેર કરતાં હોય છે. ખરો પુરૃષ સ્ત્રી ઉપર અત્યાચાર કદાપિ ન કરે. આવા (ના)મરદો ઉપર પોલી કેસ પણ થતા નથી એ પાછી એક બલિહારી છે !
બળાત્કારની ઘટનાઓને રોકવા માટે સરકારે ત્વરિત પગલાં લેવા જાઈએ. મહિલાઓએ કરાટે અને બીજા સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવા જ જાઈએ અને સાથે સાથે પુરૂષોને ઉત્તેજિત કરે એવા ટૂંકા વો પહેરવાથી પણ પરહેજ કરવો જાઈએ. સામે પક્ષે પુરૂષોએ પોતાના વિચારો બદલવાની સાથે પોતાના મન ઉપર કાબૂ રાખતા પણ શીખવું જાઈએ. એક હાથથી તાળી પડતી નથી. જવાબદારી બંને પક્ષે આવે છે. એટલે જ ઇસ્લામે ીઓને પોતાના અંગઉપાંગોને યોગ્ય રીતે ઢાંકીને બહાર નીકળવાનો આદેશ આપ્યો તો પુરૂષોને નજર નીચી રાખવાની પણ આજ્ઞા આપી છે.
નિર્ભયા કેસ પછી સોશિયલ મીડિયામાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. એમાં ઘણા રસપ્રદ સૂચનો પણ આવ્યા હતા. કેટલાક લોકો બળાત્કારીઓને ફાંસીની સજા માગી રહ્યા હતા તો કેટલાક એમને જાહેર જનતાની વચ્ચે ફાંસીએ લટકાવવા કે ગોળી મારી દેવી જાઈએ એવા સૂચનો પણ કરી રહ્યા હતા. કેટલાક લોકો બળાત્કારીનો લિંગ કાપી નપુંસક બનાવવાની તરફેણમાં પણ હતા તો કેટલાક એને જાહેરમાં પથ્થર મારી, મારી  નાખવાની તરફેણમાં હતા. ટૂંકમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધ ઉપર લગામ કસવા સરકારે ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરવી જાઈએ એ સમયની માગ છે.

અપહરણઃ

રાષ્ટ્રીય અપરાધ નોંધણી બ્યૂરો અનુસાર અપહરણ અને ભગાડી જવાના મોટાભાગના કિસ્સાઓમાં છોકરીઓ અને ીઓ ભોગ બને છે. છોકરીઓનો વેપાર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે થાય છે. બાંગ્લાદેશ અને નેપાળથી હજારોની સંખ્યામાં ીઓ અને છોકરીઓને ભિન્ન સીમાઓથી ભારતમાં પ્રવેશ કરાવી દેશના અલગ-અલગ પ્રદેશોમાં દેહ વ્યાપાર માટે મજબૂર કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે ૧૮ વર્ષથી ઓછી વયની છોકરી અને ૧૬ વર્ષથી ઓછી વયના છોકરાને એના કાયદાકીય વાલી કે માતા-પિતાની સહમતી વિના લઈ જવા અથવા ફોસલાવવાને ‘અપહરણ’ ગણવામાં આવે છે. જ્યારે ભગાડી જવા કે અગવા કરવા (છહ્વઙ્ઘેર્ષ્ઠૈંહ)નો અર્થ છે એક ીને આ ઉદ્દેશથી બળજબરીથી કે ધોખાબાજીથી લઈ જવી કે એની સાથે ફોસલાવીને અવૈદ્ય રીતે સંભોગ કરવામાં આવે અથવા એની ઈચ્છા વિરુદ્ધ એને કોઈ વ્યÂક્ત સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે. અપહરણના મામલે પીડિતાની સહમતી મહ¥વ નથી. જ્યારે ભગાડી જવાના કે અગવા કરવાના કેસમાં પીડિતાની સ્વૈÂચ્છક સહમતી અપરાધીને માફ કરાવી દે છે.
આંકડાઓને સાચા માનીએ તો ભારતમાં એક દિવસમાં સરેરાશ ૪૩ છોકરીઓ કે ીઓનું અપહરણ કરવામાં આવે છે. આમ વાર્ષિક ૧પ,૬૧૭ કેસ બને છે.
અપહરણ તથા ભગાડી જવાના કિસ્સાઓને રોકવા માટે ‘ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ’ (આઈટીપીએ-૧૯૮૬) તથા ‘ઇન્ડીસેન્ટ રિપ્રેજન્ટેશન ઓફ વુમન એકડ’ જેવા કાયદાઓ છે. પરંતુ આમાં કેટલીક ત્રુટીઓને દૂર કરવાની આવશ્યકતા છે. આઈટીપીએ-૧૯૮૬ વેશ્યાવૃત્તિ રોકવાને બદલે એને નિયંત્રિત કરવાની વાત કરે છે. આમાં મહિલા વેશ્યાવૃત્તિને ગુનો ગણવામાં આવે છે. પરંતુ પુરૂષ અથવા ગ્રાહકને નહીં !

વેશ્યાવૃત્તિ ઃ

પ્રસિદ્ધ શાયર  સાહિર લુધિયાનવીએ કહ્યું હતું કે ‘ઔરત ને મર્દ કો જનમ દિયા ઔર મર્દને ઉસે બાઝાર દિયા’ આ એક કડવી વાસ્તવિકતા છે. દેશમાં વેશ્યાવૃત્તિ વધતી જઈ રહી છે. એક વેબસાઈટના આંકડાને સાચા માનીએ તો દેશમાં વેશ્યાવૃત્તિ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. પરંતુ એને જાણે સ્વીકારી લેવામાં આવી છે. દેશમાં ર૩ લાખથી વધુ વેશ્યાઓ કે ગણિકાઓ છે અને પોણા ત્રણ લાખ વેશ્યાગૃહો છે. વર્ષે દહાડે પર૦ અબજ રૂપિયાનો આ ધંધો છે. જયજી ક્રિષ્ણનાથ, એમ.ડી. અને વિશ્વનાથ આર.નાયર ‘એન્સાયકલોપીડિયા ઓફ સેકસ્યુઆલિટી’માં લખે છે કે ‘યુવાન છોકરીઓને ખરીદી મંદિરમાં સમર્પિત કરી દેવાની દેવદાસી પ્રથા ભારતમાં ઈ.સ.૩૦૦થી ચાલી આવે છે. આ છોકરીઓને મંદિરના મહંત પૂજારીઓ અને મુસાફરો ઉપભોગના સાધન તરીકે ઉપયોગ કરતા.’ આજની તારીખમાં પણ કર્ણાટકના કેટલાક ભાગોમાં આ પ્રથા ચાલી રહી છે એ આશ્ચર્યજનક બાબત છે. મહારાષ્ટ્રના બેલગાંવમાં લગભગ ૩૩૦૦ દેવદાસીઓ આજે પણ છે. દેવદાસી પ્રથા ભારતીય સમાજમાં ૧૯૮રના અધિનિયમથી પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવી છે.
વેશ્યાવૃત્તિ, એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી જૂનો ધંધો છે. આજથી ૪૦૦૦ વર્ષ પહેલા ગ્રીસમાં વેશયાવૃત્તિ સંબંધિત કાયદો ઘડવામાં આવ્યો હતો. વેશ્યાવૃત્તિની નાબૂદી માટે સંયુકત રાષ્ટ્રોએ ઈ.સ.૧૯૪૯માં દેહ અપરાધ રોકવા માટે ઘોષણાપત્ર જારી કર્યો હતો. જેમાં ીઓ અને બાળકો વિરુદ્ધ કાયદો લાગુ કરવાની વાત કહેવામાં આવી હતી.
વિશ્વના મોટાભાગના
આભાર - નિહારીકા રવિયા  દેશોમાં વેશ્યાવૃત્તિને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. ત્યાં એમને ‘સેકસ વર્કર’ તરીકે ઓળખવામાં આવે છે. આ વેશ્યાઓને ટેકસ પણ ચૂકવવો પડે છે. એની સામે સરકાર એમના સારા સ્વાથ્ય માટે યોગ્ય પગલા લે છે.
આપણા દેશમાં વેશ્યાવૃત્તિ માટે ીઓ અને બાળકીઓની તસ્વીર તથા કન્યા ભ્રૂણ હત્યામાં વૃદ્ધિ થઈ રહી છે એવો રિપોર્ટ ર૦૦૮માં સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. દેશમાં વેશ્યાઓ બિનતંદુરસ્ત વાતાવરણમાં જીવી રહી છે. મોટાભાગની ગણિકાઓ આ ધંધામાં ગરીબી કે લાચારીવશ આવી ગઈ છે. જા કે હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સોફીસ્ટીકેટેડ અર્થાત્‌ ભણેલી  ગણેલી વેશ્યાઓનો- જેમને ‘કોલગર્લ’ કહેવામાં આવે છે. આધુનિક વેશ્યાવૃત્તિનું એક નવું રૂપ છે. વન નાઈટ સ્ટેન્ડ આધુનિક સમાજનો દંભ આ છે કે વેશ્યાને બૂરી નજરથી જાવામાં આવે છે. જ્યારે કોલગર્લનો મોબાઈલ નંબર ધીમા અવાજે પૂછી લેવામાં આવે છે. એમાં કોઈ તિરસ્કાર નથી હોતો પરંતુ માન હોય છે !
યુનિસેફના એક પ્રોજેકટ ઓફિસરના કહેવા મુજબ મેં એશિયાના ઘણા બધા વેશ્યાલયો જાયા, જ્યાં ીઓ અને બાળકીઓને ૪ટ૪ના નાનકડા કમરાઓમાં બંદ જાઈ, જેમાં  ન તો બારી હતી ન યોગ્ય પ્રકાશ, આ ીઓ અને બાળકીઓ પ્રતિ દિન ૧૬ વ્યÂક્તઓને પોતાની સેવાઓ આપી માત્ર પ૦-૧૦૦ રૂપિયાની જ બચત કરી શકતી હતી. (બીજી રકમ વેશ્યાલયોના માલિકો અને દલાલો ખાઈ જતા હતા)  આ ઉપરાંત આ ગણિકાઓ સાથે મારપીટ, શારીરિક તથા માનસિક શોષણ, અત્યાચાર, એઈડ્‌સ, ટીબી જેવી બાબતો મુખ્ય હતી, આ ીઓમાંથી જેઓ ભાગવાનો પ્રયત્ન કરતી એને મેથીપાક ચખાડી સીધી દોર કરી દેવામાં આવતી અથવા તો ૬-૭ હજારમાં એને વેચી દેવામાં આવતી.
વેશ્યાવૃત્તિ વિરુદ્ધ ભારત સરકારે કેટલાક કાયદાઓ લાગુ કર્યા છે પરંતુ એ પૂરતા નથી   વર્ષ ર૦૦૭માં દેહવ્યાપાર નિવારણ અને ધનઉપાર્જન માટે યૌન શોષણના કારણે દેહવ્યાપારથી પીડિત લોકોની સુરક્ષા,પુનવર્સન અને સમાજમાં પુનઃ પ્રતિષ્ઠા અપાવવા ર૦૦૭માં ઉજ્જવલ યોજના શરૂ કરવામાં આવી હતી. દેશમાં અનૈતિક વ્યાપાર (નિવારણ) અધિનિયમ ૧૯પ૬ છે જેમાં ૧૯૭૮ અને ૧૯૮૬માં કેટલાક મહ¥વના સંશોધનો કરવામાં આવ્યા હતા. આને અનૈતિક (નિવારણ) અધિનિયમ, ૧૯પ૬ કરી દેવામાં આવ્યું છે.
કેટલીક સ્વૈસ્વૈચ્છિક સંસ્થાઓ ગણિકાઓના સ્વાસ્થ્ય અને એમના બાળકો  માટે, શિક્ષણ માટે સરસ કાર્યો કરી રહી છે  પરંતુ ગણિકાઓની સ્થિતિ માં હજી પણ કોઈ સુધારો જાવામાં નથી આવ્યો.
સરકાર જો ખરેખર કઈ કરવા માગતી હોય તો મહિલાઓની આ સ્થિતિમાં સુધારો કરવા માટેના પગલા લેવા જોઈએ.
••••

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો