આ બ્લૉગ શોધો

31 જુલાઈ, 2017

વાસ્તવિકતા

આદિલ રઝા મન્સૂરી ઉર્દુ ના યુવા કવિ છે .એમની એક ઉર્દુ કવિતાનો અનુવાદ રજુ કરી રહ્યો છું.જીવન ની કડવી વાસ્તવિકતાનું આમાં વર્ણન છે.

પાછળ ફરીને માત્ર જોઈ શકે છે
ઘેંટાઓ
બોલવા ઈચ્છે તોય બોલે કેવી રીતે?
ગૂંગળાઈ ગયા છે અવાજ બધા
પાછા આવવું શક્ય નથી
માત્ર ચાલવું અને ચાલતા રહેવાનું છે
સ્વપ્નાઓ ની ગુફા તરફ
જેનો માર્ગ
સોનેરી વરુ ના દાંતો પાસેથી જાય છે! 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો